જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં મંગળવારે ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ અવંતીપોરાના પુલવામામાં આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય આતંકવાદીઓ જૈશ-એ-મહમ્મદના સભ્યો હતા. જ્યારે આ એન્કાઉન્ટરમાં સૈન્ય સૈનિક અને એસપીઓના શહીદ થવાના સમાચાર પણ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળો હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, આ ફાયરિંગ મંગળવારે સવારે શરૂ થયું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ત્રણ આતંકીઓને છુપાયેલા હોવાના અહેવાલ છે. માહિતી મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશનમાં સૈનિકોને નજીક આવતા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં એક સૈનિક અને એક એસપીઓ ઘાયલ થયા હતા જેનું પાછળથી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.