જમ્મુ,
પુલવામામાં સીઆરપીએફના કાફલા પરના આતંકવાદી હુમલા બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્ત વધાર્યો છે.કેન્દ્ર સરકારે સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સની (સીએપીએફ)ની 100 કંપનીઓને તાત્કાલિક જમ્મુ-કાશ્મીર રવાના કરી હતી.મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના પત્ર પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં સીએપીએફની 100 કંપનીઓ,જેમાં બીએસએફની 35.સીઆરપીએફની 45,એસએસબીની 10 અને આઇટીબીપીની 10 કંપનીઓ તાત્કાલિક રવાના કરી હતી.
સરકારે જે રીતે આ પેરામિલિટ્રી ફોર્સ મોકલ્યો છે તે જોતા આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં કેટલાક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળશે.
બીજી તરફ શુક્રવારની સાંજે ઘાટીમાં સક્રિય અલગાવવાદી નેતા યાસીન મલિકની ધડપકડ પણ કરી લેવામાં આવી છે.એ સિવાય જમાત-એ-ઇસ્લામીના નજીક ડઝન જેટલા નેતાની અટકાયત કરી છે.
સુપ્રિમ કોર્ટમાં આવતી કાલે આર્ટીકલ 35A જેવા સંવેદનશીલ મામલા પર સુનવણી થવાની છે તો તેને લઇને કાશ્મીરમાં દેખાવો થાય તેની શક્યતાને જોતા આ નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
જો સુપ્રીમ કોર્ટમાંથી 35A ને દૂર કરવા અથવા ફરી તેમાં બદલાવ જેવા આદેશ આવે છે. તો, કટ્ટરવાદીઓની તરફથી ઘાટીમાં બબાલ કરે તેવી આશંકા છે. આવી સ્થિતિમાં, સરકારે સાવચેતી તરીકે ધરપકડ અથવા જાળવણી જેવા પગલાં લીધાં છે.
એક તરફ ભારતે સરહદ સહિતના વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી છે તો બીજી તરફ પાકિસ્તાન પણ યુદ્ધના ઓછાયા હેઠળ તૈનાત થયું છે. તાજેતરમાં મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી.