જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં ભારતીય વાયુસેનાના કાફલાને લઇને જતું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના બે જવાનો મૃત્યુ પામ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર અવંતીપોરામાં વાયુસેનાનો બેઝ કેમ્પ સ્થિત છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાએ આ દુર્ઘટનાની તપાસ કરશે તેવું જણાવ્યું છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીય વાયુસેનાના જવાનોની ઓળખ સ્કવ્રોડન લીડર રાકેશ પાંડે અને કોર્પોરલ અજય કુમાર તરીકે કરાઇ છે. તે સિવાય અન્ય એક અધિકારી અને એક એરમેન સહિત બે અન્ય જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે અને તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.