Not Set/ ઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી 10ના મોત

ઉત્તરપ્રદેશમાં એકવાર ફરી  ઝેરી દારૂનો કહેર જોવા મળી રહ્યો છે. બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મૃત્યુ થયા છે અને હજુ મોતનો આંકડો વધી શકે છે.રામનગરના રાનીગંજ વિસ્તારમાં ઘણા ગામણા લોકો આ ઝેરી દારૂના ચપેટામાં આવીને ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પોલીસ અને એક્સાઇઝ વિભાગના અધિકારીઓ હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ […]

Top Stories India
ghdlhy 5 ઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી 10ના મોત
ઉત્તરપ્રદેશમાં એકવાર ફરી  ઝેરી દારૂનો કહેર જોવા મળી રહ્યો છે. બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મૃત્યુ થયા છે અને હજુ મોતનો આંકડો વધી શકે છે.રામનગરના રાનીગંજ વિસ્તારમાં ઘણા ગામણા લોકો આ ઝેરી દારૂના ચપેટામાં આવીને ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પોલીસ અને એક્સાઇઝ વિભાગના અધિકારીઓ હાજર છે.
કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ સગા ભાઈઓ દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે. છોટે લાલ નામની વ્યક્તિના 3 પુત્રો ઝેરી દારૂ પીવાથી મોતને ભેટ્યા છે.છોટે લાલનો 35 વર્ષનો પુત્ર રમેશની અચાનક તબિયત ખરાબ થઇ તો તેને સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાં જવામાં આવ્યો. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ ઉપરાંત,છોટે લાલના 25 વર્ષના પુત્ર સોનુની પણ તબિયત ખરાબ થવા પર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે સારવાર દરમિયાન અહીં મૃત્યુ પામ્યા હતા.જયારે મુકેશનું ઘરે જ મૃત્યુ થયું.
ઝેરી દારૂની  માહિતી પ્રાપ્ત થયા બાદ, પોલીસ અને આબકારી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં તપાસ થઈ રહી છે.