દિલ્લી
દિલ્લીની સરકાર હવાના પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે નિષ્ફળ ગઈ છે.
અરવિંદ કેજરીવાલની દિલ્લી સરકાર પર સોમવારે એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે.
ત્યારબાદ ભારતીય ક્રિકેટરે અરવિંદ કેજરીવાલને નિશાનો બનાવીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
ક્રિકેટર ગૌતમ ગંભીરે લખ્યું છે કે ધુમાડો છાંટ્યો, મફલર વીંટેલો નીકળ્યો ફ્રોડ. તેમણે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને બીજેપીને પૂછ્યું છે કે એનજીટી દ્વારા લગાવવામાં આવેલા દંડને કોણ ભરશે ?
ખરેખર, તે હું જ ભરીશ. ટેક્સ ભરનાર. મારા જેવા જે લોકો ટેક્સ ભરે છે તેમના રૂપિયામાંથી તમે આ દંડ ભરશો.
વધુમાં ગંભીરે કહ્યું હતું કે કાશ મારી સાથે એવો વિકલ્પ હોત કે મારા ટેક્સના રૂપિયા સીએમ દ્વારા કરવામાં આવેલી લાપરવાહીમાં ઉપયોગમાં ન આવત.
તમને જણાવી દઈએ કે સોમવારે દિલ્લી સરકાર પર ૨૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એનજીટીએ ચોખ્ખું જ કહી દીધું છે કે જો આ દંડની કિંમત એ સરકારની તિજોરીમાંથી નહી પરંતુ સરકારી અધ્કારીઓના પગારમાંથી વસુલવામાં આવશે.
એનજીટીએ કહ્યું કે જો દિલ્લી સરકાર એકસાથે આ રકમ જમા નહી કરવી શકે તો સર મહીને ૧૦ કરોડ વસુલવામાં આવશે.
દિલ્લી સરકારે એનજીટીના આની પહેલાના આદેશોનું પણ પાલન નથી કર્યું.