કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે odd-Even ટ્રાફિક નિયમોની જરૂર નથી. નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા રિંગરોડને કારણે દિલ્હીમાં પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઓછું થયું છે અને સરકાર આગામી દિવસોમાં ઘણી વધુ યોજનાઓ અમલમાં મૂકવા જઈ રહી છે, જેના કારણે આગામી 2 વર્ષમાં દિલ્હી પ્રદૂષણ મુક્ત થઈ જશે.
શુક્રવારે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વાહનો માટે ઓડ ઇવન નિયમ લાગુ થશે, જે અંતર્ગત એક સમાન નંબર વાળી ગાડી ચાલશે અને ઓડ તારીખે ઓડ નંબર વાળી ગાડી ચાલશે.
જે ગાડીઓના નંબર 0,2,4,6,8 અંકથી પૂર્ણ થાય છે તે 4,6,8,10,12 અને 14 નવેમ્બર પર દોડશે અને જે ગાડીઓના નંબર 1,3,5,7,9 અંકથી પૂર્ણ થાય છે. તે 5,7,9,11,13 અને 15 નવેમ્બરના રોજ દોડશે. દિલ્હી સરકારનો દાવો છે કે તેમના પ્રયાસોથી દિલ્હીના પ્રદૂષણને નિયંત્રણમાં લેવામાં આવશે.
ઓડ-ઇવન પછી પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીવાસીઓને કડક ટ્રાફિક નિયમોથી રાહત આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કડક ટ્રાફિક નિયમોના કારણે ટ્રાફિકમાં સુધારો થયો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હી સરકાર સખત ટ્રાફિક નિયમો પર નજર રાખી રહી છે અને જો જરૂર ઉભી થાય અને નિયમો મંજૂરી આપે તો સરકાર દંડની રકમ ઘટાડવાનો વિચાર કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.