દિલ્હી,
રીઝર્વ બેંકના ગવર્નરપદેથી ઉર્જીત પટેલે રાજીનામુ આપ્યા પછી સરકારે નવા ગવર્નરની શોધ પુરી કરી છે.ઇકોનોમી અફેર્સના પુર્વ સેક્રેટરી શક્તિકાંત દાસની રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર તરીકે નિમણુંક કરી છે.
મોદી સરકારે પૂર્વ નાણા સચિવ અને નાણા કમિશનના પ્રવર્તમાન સભ્ય શક્તિકાંત દાસની આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂંક કર્યા પછી સસપેન્સનો અંત આવ્યો છે. આ પહેલા ઉર્જિત પટેલે પોતાના પર્સનલ કારણોનો હવાલો આપીને આરબીઆઈના ગવર્નર પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું ધરી દીધું હતું.
શક્તિકાંત દાસ નોટબંધી દરમિયાન નાણાં મંત્રાલયના આર્થિક સલાહકારહતા, તે અગાઉ રેવન્યૂ સેક્રેટરી હતા અને હાલ 15માં નાણાં પંચના સભ્ય તરીકે કાર્ય કરી રહ્યાં છે.