ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 6 માછીમારોના જીવ બચાવવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડને મદદ નો સંદેશો મળતા તાત્કાલિક ઓપરેશન હાથ ધરી ને 6 માછીમારોના જીવ બચાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારા પોરબંદર ની વિસ્મિતા નામની ફિશિંગ બોટમાં ગત મોડી રાત્રે એન્જીન માં ખરાબી સર્જી હતી. અને જેના કારણે બોટ મધદરિયે બંધ પડી હતી. આ બોટ માં 6 ખલાસીઓ હતા. બોટ બંધ પડતા તમામ ખલાસીઓના જીવ પડીકે બંધાયા હતા. જેમને કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી હતી.
જેને પગલે કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે કોસ્ટગાર્ડે પહોંચી અને 6 ખલાસીઓ નો આબાદ બચાવ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.