દેશમાં કોરોનાની બીજી લહેર વિસ્ફોટક સાબિત થઇ છે ,કોરોનાના કેસો સંક્રમિત થવાના કેસો ઝડપથી વધી રહ્યાં છે મહારાષ્ટ્રમાં કોરોનાની સોથી ભયાનક સ્થિતિથી છે . અનેક સેલિબ્રીટીઓને કોરોના થઇ ગયો છે ફિલ્મી દુનિયા સહિત રાજકીય ક્ષેત્રમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે .આરએસએસના પ્રમુખ મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે તેમને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આઅએસએસના પ્રમુખ મોહન ભાગવતને કોરોના પોઝેટીવ આવતાં તેમને નાગપુરની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે નાગપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 હજાર 489 નવા કેસો સામે આવ્યાં છે અને 64 લોકોની કોરોના સંક્રમણના કારણે મૃત્યું નિપજ્યું છે. નાગપુરમાં કુલ કોરોના કેસો 2 લાખ 66 હજાર 224 સુધી પહોંચી ગયોં છે જે ચિંતાજનક બાબત છે.