લવ-જેહાદ વિરુદ્ધનો કાયદો શનિવારથી મધ્યપ્રદેશમાં અમલમાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ગેઝેટમાં ધાર્મિક સ્વતંત્રતા અધ્યાય 2020 ને સૂચિત કર્યું હતું. જેનાથી આ કાયદો અમલમાં આવ્યો છે.![]()
Jakarta / 62 મુસાફરો સાથે ઇન્ડોનેશિયાનું વિમાન જકાર્તાથી ટેકઓફ બાદ ક્…
આ બિલમાં લગ્ન દ્વારા અથવા અન્ય કપટપૂર્ણ માધ્યમથી રૂપાંતર કરવું એ ગુનો માનવામાં આવશે, આ કિસ્સામાં મહત્તમ 10 વર્ષની કેદ અને એક લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે.
Political / ચીનમાં ફસાયેલા માલવાહક જહાજનાં 23 સભ્ય દળને લઇને કેન્દ્રીય મ…
કડક સજાની જોગવાઈ

લવ જેહાદ માટે ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની કેદની અને 50 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે. સામૂહિક રૂપાંતર કરવાનો પ્રયાસ કરવા બદલ પાંચથી 10 વર્ષની કેદ અને એક લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.સગીર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે આવા ગુનો કરવા બદલ બેથી 10 વર્ષની કેદની અને ઓછામાં ઓછી 50 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે.
Appeal / દેશની જનતાને મફતમાં આપો વેક્સિન,CM કેજરીવાલની અપીલ…
આટલું જ નહીં, જે વ્યક્તિ પોતાનું ધર્મપરિવર્તન કરે છે અથવા કરે છે તે માટે 60 દિવસ અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી ફરજિયાત કરવામાં આવી છે. આમ ન કરવા બદલ ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષની કેદની સજા અને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
