INX મીડિયા કેસમાં જેલમાં રહેલા પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. આ અરજીમાં તેમણે કહ્યું છે કે તેની ધરપકડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો હેતુ સારો નથી અને આ બધુ તેમની છબીને દૂષિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ચિદમ્બરમ હાલમાં 24 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે.
જણાવી દઈએ કે 18 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની જામીન પરની અરજીની સુનાવણી કરી હતી. ત્યારબાદ ચિદમ્બરમે દલીલ કરી હતી કે તે ભાગશે નહીં, જેથી ટોચની અદાલતના ન્યાયાધીશોએ એ તથ્યો પર વિચાર કરવો જોઇએ કે લુકઆઉટ નોટિસથી તેમને વિદેશ પ્રવાસ અટકાવવામાં આવ્યો હતો અને તેમણે દેશ છોડવાની વિનંતી કરી ન હતી.