Not Set/ #IPL2020 – #SRHvRCB – સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યો જીત માટે 164 રનનો ટાર્ગેટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) મેચમાં સોમવારે (21 સપ્ટેમ્બર) પાંચ વિકેટે 163 રન બનાવ્યા છે અને જીત માટે સનરાઇઝર્સ હૈદરાબાદને 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)માં 21 સપ્ટેમ્બરની આજની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. આજની મેચમાં હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ […]

Uncategorized
88c812216c3ae4caaed31a8dd004415b #IPL2020 - #SRHvRCB - સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યો જીત માટે 164 રનનો ટાર્ગેટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) મેચમાં સોમવારે (21 સપ્ટેમ્બર) પાંચ વિકેટે 163 રન બનાવ્યા છે અને જીત માટે સનરાઇઝર્સ હૈદરાબાદને 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)માં 21 સપ્ટેમ્બરની આજની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. આજની મેચમાં હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  

બેંગ્લોર તરફથી દેવદત્ત પદ્દિકલે સૌથી વધુ 56 રન બનાવ્યા, જ્યારે એબી ડી વિલિયર્સે 51 રન બનાવ્યા. તે જ સમયે, એરોન ફિંચે 29, વિરાટ કોહલીએ 14 અને શિવમ દુબેએ 7 રન બનાવ્યા હતા. 

હૈદરાબાદ તરફથી ટી નટરાજન, વિજય શંકર અને અભિષેક શર્માએ 1-1 વિકેટ લીધી હતી. મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં આરસીબીની અને વોર્નર ની આગેવાનીમાં હૈદરાબાદની આઈપીએલની 13 મી સીઝનમાં તેની પહેલી મેચ છે અને બંને ટીમો જીત સાથે સિઝનની શરૂઆત કરવા માંગશે. સનરાઇઝર્સ હૈદરાબાદ એક વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews