હાલ માં જ વડાપ્રધાન મોદી દ્વારા કશ્મીર કહતે કલમ 370ને નાબૂદ કરીને પ્રબળ રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. પરંતુ તેમની આ રાષ્ટ્રભક્તિ તેમના જ પરિવાર માટે ખતરાની ઘંટી બની ગયું છે. એવા તો કયા કારણો છે કે વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદી એ સુરક્ષાની માંગણી કરવી પડી?
વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદી ને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વિના પાછી ખેચી લેવામાં આવી હતી, તાજેતરમાં વડાપ્રધાન દ્વારા કાશ્મીર માઠી કલમ 370 નાબૂદ કર્યા બાદ વડાપ્રધાનના પરિવારજનોને અજાણ્યા ખતરનો ભય ડરાવી રહ્યો છે.
આથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી છે. પ્રહલાદ મોદીએ પોતાના પત્રમાં કલમ 370નો ઉલ્લેખ કર્યો છે.. તેમણે લખ્યું છેકે.. કલમ 370 હટાવવાથી કેટલાક અસામાજિક તત્વોને ખરાબ લાગ્યું છે.. તેઓ 67 વર્ષના છે અને એકલા રહે છે, જો કોઈ હુમલો કરે તો સ્વબચાવ પણ કરી શકે તેમ નથી, જેને લઈને તેમણે સુરક્ષાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પ્રહલાદ મોદીના ઘરે તેમજ તેમની સાથે 3 કમાન્ડો ફાળવ્યા હતા. જોકે 26 મે 2019ના રોજ સિક્યોરિટીની જરૂર ન હોવાથી જાણ કર્યા વિના હટાવી દીધી હતી..
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.