ટેલીવૂડ/ શું ફરી પોસ્ટપોન થવાનો છે ધ કપિલ શર્મા શો? શરુ થતા પહેલા અહીં અટવાઈ સૂઈ

કપિલ શર્મા અને તેની ટીમ શોમાં પાછા ફરવા માટે નિર્માતા પાસેથી મોટી રકમની માંગ કરી રહ્યા છે. આ શો જાન્યુઆરીમાં ઓફ એયર થઈ ગયો હતો.

Entertainment
A 93 શું ફરી પોસ્ટપોન થવાનો છે ધ કપિલ શર્મા શો? શરુ થતા પહેલા અહીં અટવાઈ સૂઈ

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના ચાહકો આતુરતાથી તેના શો ‘ધ કપિલ શર્મા શો’ ની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે. ચાહકો ફક્ત આ શોની ટૂંક સમયમાં પ્રસારણ થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તાજેતરના અહેવાલો પર એક નજર નાખો તો ‘ધ કપિલ શર્મા શો’ શરૂ થાય તે પહેલા અટવાઇ જાય તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્મા અને તેની ટીમ શોમાં પાછા ફરવા માટે નિર્માતા પાસેથી મોટી રકમની માંગ કરી રહ્યા છે. આ શો જાન્યુઆરીમાં ઓફ એયર થઈ ગયો હતો કારણ કે કપિલ શર્મા તેના પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો. થોડા દિવસો પહેલા શો વિશે સમાચાર આવ્યા હતા કે આ શો જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રસારિત થવાનો છે.

પોસ્ટપોન થયો ધ કપિલ શર્મા શો ?

તાજેતરમાં, કૃષ્ણ અભિષેકે પુષ્ટિ આપી હતી કે શો પાછો આવી રહ્યો છે. ચાહકો ફરી એક વાર ધ કપિલ શર્મા શો જોવા માટે ઉત્સુક છે. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે આ શો મોકૂફ રાખવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર કપિલ શર્મા અને તેની આખી ટીમ ભારે રકમ માંગી રહી છે, જે માટે ચેનલ તૈયાર નથી. તે લોકો તેમની ફી અંગે વાટાઘાટો કરી રહ્યા છે. એવા અહેવાલો પણ છે કે કલાકારોએ તેમની ફી ઓછી કરી છે, પરંતુ દરેક નિર્ણય પર પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. આ સમાચાર વિશે હજી સુધી ઓફિસીયલ કંઈ પણ સામે આવ્યું નથી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સુપુર્દ-એ-ખાક, સાયરા બાનુએ કબ્રસ્તાનમાં આપી અંતિમ સલામ

કૃષ્ણા અભિષેકે કરી હતી આ પોસ્ટ

કૃષ્ણાએ એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં ભારતી સિંહ અને કિકુ શારદા પણ જોવા મળી રહ્યા હતા. આ પોસ્ટ કરીને, તેણે લખ્યું – ટૂંક સમયમાં પાછા આવીશું, અમારી પ્રથમ રક્રિએટીવ મીટીંગ. નવો સ્ફટ જલ્દી આવશે. @tkssaudience @banijaygroup.

આ બધા સિવાય એવા અહેવાલો પણ આવ્યા હતા કે અર્ચના પૂરણસિંહે આ શો છોડી દીધો છે. અભિનેત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને આ અહેવાલોને અફવા ગણાવી હતી. તેણે કહ્યું- હું શોની આગામી સીઝનનો એક ભાગ છું.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે પાકિસ્તાની બ્યુટી ક્વિન સાથે કર્યા હતા બીજા લગ્ન

પ્રાર્થના કરો કે શો જલ્દીથી શરૂ થાય

ભારતીસિંહે તાજેતરમાં ‘પિંકવિલા’ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે શોના પાછા ફરવા અંગે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી અમને કહેવામાં આવ્યું છે, તે મુજબ, શો જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં શરૂ થવો જોઈએ. આપણે બધા આ વિશે વાત કરી રહ્યા છીએ અને કપિલ ભાઈ પણ જુલાઇ મહિનામાં શો શરૂ કરવા માગે છે, કારણ કે આ શો જાન્યુઆરીથી બંધ થઈ ગયો છે અને હવે લાંબા વિરામ થઇ ગયો છે. બસ પ્રાર્થના કરો કે શો જલ્દીથી શરૂ થાય.

આ પણ વાંચો :દિલીપકુમાર સાથે અનિલ કપૂરે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ત્રણ ફિલ્મો કરી, હૃદયપૂર્વક આપી શ્રદ્ધાંજલિ