Andhra Pradesh News: દેશ અત્યારે બોમ્બની ધમકીઓથી (Bomb Threats) પરેશાન છે. તાજેતરમાં, દિલ્હીમાં શાળાઓ અને ફ્લાઇટ્સ પછી, આંધ્રપ્રદેશના તિરુપતિની હોટલોને બોમ્બની ધમકીઓ મળી હતી. ત્રણ દિવસ બાદ તિરુપતિમાં પણ ઈસ્કોન મંદિરને (ISCKON Temple) બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. ધમકી મળતા જ પોલીસ અને મંદિર પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. તરત જ ફાયર બ્રિગેડ, પોલીસની ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા મંદિરની બધે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટકો મળી આવ્યા ન હતા. આ પછી મંદિરની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે અને દરેક દર્શનાર્થીઓની કડક તપાસ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈસ્કોન મંદિરના સ્ટાફને 27 ઓક્ટોબરે એક ઈમેલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે. ધમકી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડોગ સ્ક્વોડ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું ન હતું. આ પછી પોલીસે આ ધમકીને નકલી ગણાવી છે અને ઈમેલ આઈડીને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા 26 ઓક્ટોબરે તિરુપતિની બે મોટી હોટલોને પણ બોમ્બની ધમકી મળી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડે આ હોટલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ત્યાં પણ કંઈ મળ્યું નહોતું, ત્યારબાદ પોલીસે આ ધમકીઓને નકલી ગણાવી હતી. ધમકીઓમાં કથિત રીતે ડ્રગ સ્મગલિંગના કિંગપિન જાફર સાદિકનું નામ હતું, જેની તમિલનાડુમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, તિરુપતિની અન્ય ત્રણ હોટલોને પણ બોમ્બની ધમકીઓ મળી હતી, જેને સુરક્ષા દળોએ સંપૂર્ણ શોધખોળ બાદ નકલી જાહેર કરી હતી. આ સ્થિતિ સતત ચિંતાનો વિષય છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:‘ગ્રાઉન્ડ ફ્લોરમાં કાળી બેગમાં બોમ્બ છે’ લખનઉમાં 3 હોટલને મળી ધમકી
આ પણ વાંચો:એક બોમ્બની ખોટી ધમકી એરલાઈન્સને કઈ રીતે પડે છે મોંઘી? અધધધ…આટલા રૂપિયાનું સહન કરવું પડે છે નુકસાન
આ પણ વાંચો:8 દિવસમાં 120થી વધુ ફ્લાઈટને મળી ધમકી, ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી
