દસ દિવસ સુધી બાપ્પાની પૂજા, આરાધના કરી ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઊજવ્યો. આજે અંતિમ દિવસે ગુજરાતભરમાં લોકો ગણેશ વિસર્જન કરી રહ્યા છે. ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં સવારથી જ ભાવિકો ગણેશ વિર્સજન કરી રહ્યા છે. સુરતના હજીરા દરિયા કિનારે મહાકાય મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. 10 જેટલી ક્રેનો મારફતે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ગણપતિ વિસર્જનમાં પહોંચ્યા.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ગણેશ વિસર્જનમાં પહોંચ્યા હતા અને ગણપતિની પૂજા કરી હતી
Surat/ હજીરા દરિયા કિનારે મહાકાય મૂર્તિઓનું વિસર્જન,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી ગણપતિની પૂજા
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી ગણપતિની પૂજા
![હજીરા દરિયા કિનારે મહાકાય મૂર્તિઓનું વિસર્જન,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી ગણપતિની પૂજા 1 Mantavyanews 2023 09 28T185134.158 હજીરા દરિયા કિનારે મહાકાય મૂર્તિઓનું વિસર્જન,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી ગણપતિની પૂજા](https://mantavyanews.com/wp-content/uploads/2023/09/Mantavyanews-2023-09-28T185134.158.jpg)