પોલીસે હિન્દુ સમાજ પાર્ટીનાં અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ ચાર્જશીટમાં 13 લોકોનાં નામ છે, આ 13 લોકો પર હત્યા અને ષડયંત્રનો આરોપ છે. પોલીસે અશરફ અને મોઇનુદ્દીન પર કમલેશ તિવારીની હત્યા કરવાનો આરોપ મૂક્યો છે, જ્યારે બાકીનાં લોકો પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે.
કમલેશ તિવારી હત્યા કેસનાં મુખ્ય આરોપી અશફાક અને મોઇનુદ્દીનની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ કાવતરાખોરોએ સુરતનાં રહેવાસી રાશિદ અહમદ પઠાણ ઉર્ફે રાશીદ, મૌલાના મોહસીન શેખ, ફૈઝાન યૂનુસ, તેમના સહાયકો નાગપુરનાં સૈયદ આસીમ અલી, બરેલીના કૈફી અલી, વકીલ નાવેદ, કામરાન, લખીમપુરનાં પાલિયાનાં રહેવાસીઓની ધરપકડ કરી હતી. પોલીસની ચાર્જશીટમાં તેમના નામ પણ શામેલ છે.
આપને જણાવી દઇએ કે, 18 ઓક્ટોબરનાં રોજ લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કમલેશનાં ઘરનાં પહેલા માળે આવેલી ઓફિસમાં બે બદમાશો મીઠાઇનાં ડબ્બામાં પિસ્તોલ અને છરીઓ છુપાવીને પહોંચ્યા હતા. લગભગ અડધો કલાક વાત કર્યા પછી કમલેશને ગળા પર ગોળી મારી હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.