લગભગ લગભગ એક મહિનો ચાલેલા રાજકીય નાટક બાદ બે દિવસ પહેલા કોંગ્રેસ-જેડીએસ યુતિ સરકારનાં કુમારસ્વામીએ હારીને અંતે રાજીનામું આપી દીધુંં કે કહો, ફલોર ટેસ્ટમાં કર્ણાટકની સરકાર ઘ્વસ્ત થઇ ગઇ હતી. ભાજપ દ્વારા આમતો કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે કા તો ગુરૂવારે કે તો શુક્રવારે ભાજપ કર્ણાટકમાં સરકાર રચવાનો દાવે પેશ કરી દેશે અને ભાજપનાં ચૂંટાયેલા અને સહકારમાં હોય તેવા તમામ ઘારાસભ્યોને સાથે લઇને યેદિયુરપ્પા CM તરીકેનાં શપથ ગ્રહણ કરશે.
ત્યારે અંતે #કર્ણાટકમાં કેસરિયો લહેરાયો છે અને યેદિયુરપ્પાએ CM પદ્દનાં લીધા શપથ ગ્રહણ કરી લીધા છે. કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા દ્વારા યેદિયુરપ્પાને મુખ્યમંત્રી તરીકેનાં ગૃપ્તતાનાં શપથ લેવડાવવામાં આવ્યા હતા.
યેદિયુરપ્પાએ પોતાનાં સમર્થકો સાથે રાજ્યપાલ વજુભાઇ વાળાને સરકાર રચવાનો દેવો અને સમર્થન માટેની નામવલી પેસ કરી, પોતાને ફરી કર્ણાટકનાં CM તરીકે પ્રસ્થાપિત કરી દીધા છે. ત્યારે આગમી દિવસોમા ભાજપ વિધાનસભા ગૃહમાં પોતાની બહુમતિ ફ્લોર ટેસ્ટ દ્વારા સ્થાપિત કરશે અને ત્યાર બાદ યદિયુરપ્પાનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામા આવશે.
યેદીયુરપ્પાએ લીધા સીએમના શપથ, જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.