ગુજરાત પોલીસની ATS ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે અને વર્ષોથી જે ફરાર હતો અને પોલીસ શોધી રહી હતી તે અક્ષરધામ હુમલાનો મુખ્ય આરોપીને ATSએ ઝબ્બે કરી લીધો છે. ગુજરાત ATSને ગાંધીનગરનાં અક્ષરધામ મંદિર પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા મામલે મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.
અક્ષરધામ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી મોહમ્મદ યાસીન ગુલામ મોહઉદ્દિન ભાટની ધરપકડ કરી લેવમાં આવી છે. મોહમ્મદ યાસીન ગુલામ મોહઉદ્દિન ભાટને જમ્મુ કાશ્મીરનાં અનંતનાગમાંથી ઝડપી લેવામા આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે તે પાકિસ્તાન કબજામાં આવેલ કાશ્મીરમાં છુપાયેલ હતો. ધરપકડ પછી, તેમને કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.
જુઓ સમગ્ર મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.