છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અઢી- અઢી વર્ષ માટે પદ પર રહેવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બેઠક બાદ તેમણે કહ્યું કે મને હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પછી જ્યાં સુધી હાઈકમાન્ડ ઈચ્છે ત્યાં સુધી હું મુખ્યમંત્રી તરીકે ચાલુ રહીશ. આ દરમિયાન મુખ્યમંત્રી બઘેલે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે, હવે છત્તીસગઢનો વારો છે. આપણે છત્તીસગઢ મોડેલ રાષ્ટ્ર સમક્ષ રજૂ કરવું પડશે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે છત્તીસગઢના વિકાસ અને રાજકારણ પર રાહુલ ગાંધી સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મેં તેમની સમક્ષ મારી દરેક વાત રજૂ કરી છે, રાહુલ ગાંધીને છત્તીસગઢ આવવા વિનંતી પણ કરી છે અને તેઓ આવતા અઠવાડિયે છત્તીસગઢ આવશે. બઘેલે કહ્યું કે રાહુલ ગાંધી પહેલા બસ્તર જશે અને દિવસ ત્યાં રહેશે. પછી બે દિવસ માટે સુરગુજા જશો. આગામી સમયમાં તેઓ ત્રણ પ્રવાશ કરવાના છે.
છત્તીગઢમાં મુખ્યમંત્રી પદ અંગેના ફોર્મ્યુલા અંગે આવતા સમાચારો વિશે પૂછવામાં આવતાં ભૂપેશ બઘેલએ કહ્યું કે પીએલ પુનિયાએ આ મુદ્દે પહેલેથી જ સ્પષ્ટતા આપી દીધી છે. તેથી મારે આગળ કંઈ કહેવાની જરૂર નથી. મારી રજૂઆતો મે મારા નેતાને જણાવી છે. રાજકીય મુદ્દાઓની સાથે રાજ્યના વિકાસના મુદ્દા પર પણ તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ હાઈકમાન્ડના કહેવાથી દિલ્હી જઈ રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુરૃવારે મને કેસી વેણુગોપાલ જીનો સંદેશ મળ્યો. મારે આજે રાહુલ જીને મળવાનું છે. બઘેલે એમ પણ કહ્યું કે આ સિવાય તેની પાસે કોઈ માહિતી નથી. જયારે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બઘેલના નજીકના પક્ષના ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. ઘણા ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ શુક્રવારે દિલ્હી જવા રવાના થયા. આ સમાચાર બાદ રાજકીય અટકળો વધુ સક્રીય બની હતી.