જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે. આ પેટા ચૂંટણીને લોકસભા 2019 પહેલાની સેમિફાઇનલના રૂપમાં જોવામાં આવી રહી છે.
જસદણ પેટા ચૂંટણીને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ હુંકાર કરતા જણાવ્યું કે, પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ માટે પ્રચાર કરશે. ભાજપનો પરાજય નિશ્ચિત છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટેની માંગણી સાથે પત્ર પણ લખ્યો છે. તેમણે બેલેટ પેપરથી મત આપવાની માંગણી કરી છે.
કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણ બેઠક હાલ રાજકારણમાં હોટ ફેવરિટ થઈ ચૂકી છે. કોંગ્રેસના એક સમયના કદાવર નેતા અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવાળીયાના કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારેથી જાણે કે રાજકારણ ગરમાઈ ગયું છે