રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અનંતનાગમાં સ્થાનિકો સાથે વાતચીત કરી. ઉલ્લેખનીય છે કે આ એ જ ક્ષેત્ર છે જે છેલ્લા લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હતું.
આ દરમિયાન અજિત ડોભાલે ઘેટાં પાલકો સાથે પણ વાત કરી હતી. આ પ્રસંગે, મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોવા મળ્યા હતા, જેની સાથે અજિત ડોભાલ લાંબા સમય સુધી વાતો કરતા અને હસ્ત ધૂનન કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, પશ્ચિમ સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.પી.સિંઘ હાલની પરિસ્થિતિનો ક્યાસ લેવા પગપાળા નીકળ્યા હતા.
આ સમય દરમિયાન તેમણે યાલ કેન્ટ અને રાઇઝિંગ સ્ટાર કોર વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ એ જ ક્ષેત્ર છે જે છેલ્લા લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હતું. અને તેઓ અહીં એક દિવસીય મુલાકાતે આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.