Madhya Pradesh News: ભોજશાળા જ સરસ્વતી મંદિર હતું. આ દાવો પૂર્વ ASI અધિકારી કેકે મુહમ્મદે કર્યો છે. તેમનું કહેવું છે કે ભોજશાળા, જેને મુસ્લિમ પક્ષ ‘કમલ મસ્જિદ’ કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે મસ્જિદ નહીં પરંતુ સરસ્વતી મંદિર હતું. પરંતુ બાદમાં ઇસ્લામવાદીઓએ તેને ઇસ્લામિક પૂજા સ્થળમાં ફેરવી દીધું.
કે.કે. મુહમ્મદે કોર્ટના નિર્ણયનો આદર કરવા અને પ્લેસ ઓફ વર્શિપ એક્ટ, 1991ને સમર્થન આપવાના મહત્વ પર ભાર મૂક્યો, કહ્યું કે હિન્દુ અને મુસ્લિમોએ આવા સ્થળો અંગેના મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સાથે આવવું જોઈએ. તેમણે કાશી અને મથુરાના સમાન મુદ્દાઓ પર પણ કહ્યું કે મુસ્લિમોએ પણ આ સંકુલને લઈને હિન્દુઓની ભાવનાઓને સ્વીકારવી જોઈએ.
કે.કે.મુહમ્મદ કહે છે કે ધારમાં આવેલી ભોજશાળા વિશે એ એક ઐતિહાસિક તથ્ય છે કે તે સરસ્વતી મંદિર હતું. બાદમાં તેને મસ્જિદ બનાવવામાં આવી હતી. પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991નો ઉલ્લેખ કરતા કે.કે. મુહમ્મદ કહે છે કે આ કાયદા હેઠળ કોઈપણ ધાર્મિક સ્થળનો દરજ્જો આધાર વર્ષ 1947 સુધી નક્કી કરવામાં આવે છે. એ વર્ષમાં મંદિર હતું તો મંદિર જ રહેતું અને મસ્જિદ હોય તો મસ્જિદ જ રહેતું.
નોંધનીય છે કે પદ્મ પુરસ્કાર વિજેતા કે.કે. મુહમ્મદ એ જ પુરાતત્વવિદ્ છે જેમણે અયોધ્યામાં કથિત બાબરી ઢાંચાની નીચે રામ મંદિરના અવશેષો શોધી કાઢ્યા હતા. તેઓ 1976-77માં પ્રોફેસર બીબી લાલની આગેવાની હેઠળની ખોદકામ ટીમનો ભાગ હતા.
આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…
આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….