હત્યા/ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખેલાયો ખૂની ખેલ, હોટલ માલિકની કરાઈ હત્યા

યાત્રાધામ અંબાજી સ્થિત ગબ્બર પાસે સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઇ હતી અને ત્યારબાદ સ્થાનિકોએ આ ઘટના…

Gujarat Others
a 117 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખેલાયો ખૂની ખેલ, હોટલ માલિકની કરાઈ હત્યા

રાજ્યમાં દિનપ્રતિદિન હત્યા, અપહરણ જેવી ઘટનાઓ વધી રહી છે, ત્યારે આ વચ્ચે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો :મુંબઈ-વડોદરા એકસપ્રેસ વે માટે 32 ગામોના ખેડુતોને રૂ.2200 કરોડ ચૂકવાશે

મળતી માહિતી મુજબ, યાત્રાધામ અંબાજી સ્થિત ગબ્બર પાસે સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઇ હતી અને ત્યારબાદ સ્થાનિકોએ આ ઘટના અંગે પોલીસે જાણ કરતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, હત્યા કરાયેનો મૃતદેહ એ અંબાજીમાં જ આવેલા એક રેસ્ટોરન્ટના માલિક વિનય રાવલ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો :ગાંધીનગરમાં ભાજપની સત્તા નિશ્વિત,કોંગ્રેસનો કરૂણ રકાસ,AAPએ કોંગ્રેસના મતમાં પાડ્યું ગાબડું

આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ ઘટના બાદ હવે સ્થાનિકોએ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ,  હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજી ખાતે બ્રિજેશ રાવલ અને વિનય રાવલ બંને ભાઈ બીજા ભાગીદારો સાથે રેસ્ટોરન્ટ ચલાવે છે. મૃતક હોટસ માસિત વિનય રાવલ સામાજિક કાર્યોમાં ઘણો આગળ પડતો હતો. જો કે, ક્યા કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : આગામી 4 દિવસ સુધી આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ