પ્રિયંકા ગાંધી વાઢરા દ્વારા જણવવામા આવ્યું કે સોનભદ્રનાં પીડિતોનાં બે સંબંધીઓ મને મળવા આવ્યા છે. પરંતુ હજુ 15 અન્યને મને મળવાની પરવાનગી પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી. અને ઉપરથી મને પણ તેમને મળવાની પરવાનગી આવામાં આવી રહી નથી.
વધુમાં પ્રિયંકા ગાંધી વાઢરા દ્વારા માધ્યમોને કહેવામા આવ્યું કે “ભગવાન કોણ જાણે આ લોકોની માનસિકતા શું છે ?”, ” આપ(માધ્યમો) થાડું દાવણ કરો, જેથી તે લોકોને મળવા માટે આવવા દેવામાં આવે” અને અંતે થોડા ગુસ્સા સાથે અફસોસ પ્રગટ કરતા કહ્યું મારી પાછળ જ ન પડ્યા રહો….
આપને જણાવી દઇએ કે કોંગ્રેસનાં ઉત્તર પ્રદેશનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી જ્યારે સોનભદ્ર પીડિતોને મળવા જઇ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની રસ્તા વચ્ચેથી જ જતા અટકાવી અટકાયત કરી લોવામા આવી હતી.ત્યારથી એટલે કે પાછલા 24 કલાકથી પ્રિયંકા ગાંધી ધરણા પર બેસી ગયા છે. અને પોલીસને જમાનત ભરવાની પણ ના પાડી દીધી છે. પ્રિયંકા દ્વારા સ્પષ્ટ કરવામા આવ્યું હતું કે હું જમાનત નહી જ લવ અને પીડિતોને મળવું તે મારો હક્ક છે, તમારે મને મળવા દેવી જ પડશે.
પ્રિયંકા દ્વારા ઘરણા શરૂ કરવામા આવતા જ દેશભરમાં કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ઘરણાનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ કરવામા આવી રહ્યા છે.
જુઓ પ્રિયંકા ગાંધીએ “માધ્યમો”ને શું કરવાની કરી અપીલ……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.