IPL/ કોલકાતાએ બેગ્લોરને 4 વિકેટથી હરાવ્યું,સુનીલનો ઓલરાઉન્ડર પ્રદર્શનના લીધે RCB બહાર

KKRના બોલર નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. આઈપીએલ 2021 માં બેંગ્લોરના સફરનો અંત આવી ગયો છે.

Top Stories
kkr 1 કોલકાતાએ બેગ્લોરને 4 વિકેટથી હરાવ્યું,સુનીલનો ઓલરાઉન્ડર પ્રદર્શનના લીધે RCB બહાર

કોલકાતા નાઇટ રાઇડર્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે, KKR એ બીજા ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. કોલકાતાએ 139 રનનો લક્ષ્યાંક 2 બોલ બાકી રાખીને આરસીબી પાસેથી હાંસલ કર્યો હતો. ટીમ માટે શુભમન ગિલે 29 અને સુનીલ નારાયણે 26 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ પહેલા RCB એ કેપ્ટન વિરાટ કોહલીની 39 રનની ઈનિંગના કારણે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા. KKRના બોલર નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. આઈપીએલ 2021 માં બેંગ્લોરની યાત્રાનો પણ અંત આવી ગયો છે.

 

કોલકાતા નાઇટ રાઇડર્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે, KKR બીજા ક્વોલિફાયર તરફ આગળ વધી ગયું છે જ્યાં તેનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. , હાર સાથે વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીની આઈપીએલ 2021 ની સફર સમાપ્ત થઇ ગયો.