કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 55 પદવીદાન સમારંભ સીમિત મહાનુભાવો અને શિક્ષણવિદોની વચ્ચે યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારંભ યોજાયો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજી યુક્ત જરૂરી બન્યું છે પરંતુ તેમાં આધ્યાત્મિક ચિંતન જોવા મળતું નથી.
latest design / પાંચ એકરમાં નિર્માણ પામશે 2 ઇમારતો, આવી હશે અયોધ્યામાં બનનાર…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં 98 વિદ્યાર્થીઓને 114 ગોલ્ડમેડલ સહિત 29777જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ તમામ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓમાં યુવતીઓ સામે યુવાનોની સંખ્યા ઓછી જોવા મળી હતી. 77 યુવતીઓ સામે 27 યુવકોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેથી શિક્ષણ મંત્રી કુમાર કાનાણી એ આ અંગે વિદ્યાર્થીઓને ટકોર કરી હતી.
drawing / આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવ…
આ પદવીદાન સમારંભ અંતર્ગત બાબરાની સરકારી વિનયન કોલેજ ના વિદ્યાર્થી લાલજી મકવાણા ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે જ્યારે મોરબીની પ્રભાબેન કોલેજની વિદ્યાર્થીની માધુરી સોઢાએ એલએલપીમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પરિવાર તેમજ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
રાજકોટ / કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ માં કેસરીયો ધારણ કરશે …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…