સારવાર/ લખીમપુર ખીરીના મુખ્યઆરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુ થતાં જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા

જેલમાં બંધ લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

Top Stories India
1111111 લખીમપુર ખીરીના મુખ્યઆરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુ થતાં જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા

જેલમાં બંધ લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આશિષને ડેન્ગ્યુ થયો છે. તેમની જેલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તેની તબિયત બગડ્યા બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની ડેન્ગ્યુની સારવાર ચાલી રહી છે.

લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુને શુક્રવારે સાંજે પોલીસે 48 કલાકના રિમાન્ડ પર લીધા હતા. જ્યારે આશિષ મિશ્રા જેલમાંથી બહાર આવ્યા અને પોલીસ તેમને પોતાની સાથે ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ ત્યારે તેમની તબિયત ઠીક ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બહાર આવતા પહેલા તેમણે જેલમાં કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા. તેને તાવની ફરિયાદ હતી. કહેવાય છે કે શનિવારે તેનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો હતો, જેમાં તે ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફરી તપાસ કરવા મોનુનું મેડિકલ કરાવ્યું. જેમાં પણ તેમને ડેન્ગ્યુ પોઝીટીવ જણાયો હતો.

એડિશનલ એસપી અરુણ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે મેડિકલ રિપોર્ટમાં તેમની સુગર પણ વધી ગઈ છે. મેડિકલી ફીટ ન હોવાને કારણે પોલીસે તેની પૂછપરછ કરવાનું યોગ્ય ન માન્યું અને શનિવારે મોડી સાંજે તેને જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્ય પરતું  ત્યાં તેમની તબિયત બગડતાં તેને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે