ઘણા મસાલા મોટાભાગે ભારતીય ભોજનમાં વપરાય છે. જેમાંથી એક હળદર પણ છે. હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-ફંગલ અને એન્ટિસેપ્ટિક તત્વો સાથે ઘણા ઔષધીય ગુણધર્મો છે. હળદરમાં પ્રોટીન, વિટામિન એ, કાર્બોહાઈડ્રેટ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હળદરની આડઅસર પણ છે. આવી સ્થિતિમાં જો તમે પણ વધારે હળદરનું સેવન કરો છો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
હળદરની તાસીર ગરમ હોય છે. આવી સ્થિતિમાં હળદરનું વધારે સેવન કરવાથી પેટમાં બળતરા થાય છે. આ ઉપરાંત પેટ ફૂલેલું અને પેટમાં ખેંચાણની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.
પથરી – હળદરનું વધારે સેવન કરવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે.
ગર્ભવતી સ્ત્રી
હળદર સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત માનવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થવો જોઈએ. તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી માસિક સ્રાવને અસર કરી શકે છે અથવા ગર્ભાવસ્થામાં તે ખતરનાક બની શકે છે.
ઉલટી અને ઝાડા– હળદરના વધારે સેવનથી પાચનની સમસ્યા થાય છે. આને કારણે ઝાડા કે ઉલટી થવાની સમસ્યા ઘણી વખત શરૂ થાય છે.
આયર્નની અછતને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. જો તમારા શરીરમાં આયર્નની કમી છે, તો તમારે હળદરનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
જોકે, જરૂર કરતા વધારે હળદરનું સેવન નુકસાનકારક હોય છે. જરૂર કરતા વધારે હળદરનું સેવન કરવાથી હૃદયની બીમારીઓ, ડાયરિયા, ડાયાબીટિસ, લોહીના ગઠ્ઠા થવા જેવા નુકસાન પણ થઈ શકે છે, એટલે તેનું વધારે સેવન ન કરવું જોઈએ.