બિયર આરોગ્ય માટે કેટલી નુકસાનકારક છે એ તો દરેક વ્યક્તિ જાણે છે, પણ શું તમે જાણો છો કે બિયર ચામડીને પણ એટલું જ નુકસાન કરે છે? જો નહીં, તો આજે તમને જણાવી છીએ કે બિયર ચામડીને શું અને કેવી રીતે નુકસાન કરે છે.
બિયર પીવાથી સૌથી ખરાબ અસર તમારા ચહેરા પર થાય છે. વાસ્તવમાં અનાજ અથવા ચોખાનો ઉપયોગથી બિયર બનાવવા આવે છે અને અનાજમાં ગ્લુટન નામનું પ્રોટીન હોય છે. આ ગ્લુટન ત્વચા માટે જોખમી ગણવામાં આવે છે. મસલન આને ‘સુંદર ચામડીનો દુશ્મન’ કહેવામાં આવે છે. તેથી બિયર પીવાથી ચહેરા પર બ્લેકહેડ્સ અને ખીલ થાય છે.
બિયરથી ચામડીના ગ્લો અને નેચરલ શાઈન પણ દૂર થઇ જાય છે અને ડાગ-ધબ્બા થવા લાગે છે.
બિયર પીવાથી સ્કીન ફૂલી-ફૂલી જોવા મળે છે અને સાથે સાથે ચહેરો પણ ફૂલેલો લાગે છે.
બિયરમાં વપરાતા અનાજમાં ગ્લુકોઝ હોય છે. જેના કારણે શુગરનું પ્રમાણ વધે છે. સેલ પણ સમાપ્ત થાય છે અને વિટામિન બી પર પણ અસર થાય છે શુગર લેવલમાં વધારો થવાથી, થકાન લાગવવા લાગે છે અને ઉર્જામાં ઘટાડો થાય છે, જે ચહેરાને પણ અસર કરે છે.
બિયરના ડાઈયુરેટિક ઈફેક્ટ હોય છે.એટલે કે આને પીવાથી વધારે વાર ટોયલેટ આવે છે. જેથી શરીરમાંથી પાણીનું પ્રમાણ ધટે છે અને પાણીની કમીથી અસર ત્વચા પર પણ અસર કરે છે.