મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જાહેરાત કરી કે મુંબઈના રહેવાસીઓ કે જેમણે કોવિડ -19 ની રસીના બંને ડોઝ લીધા છે, તેઓ 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. ઠાકરેએ એક લાઇવ વેબકાસ્ટમાં જણાવ્યું હતું કે, જેમણે કોવિડ -19 વિરોધી રસીની બીજા ડોઝ બાદ 14 દિવસનો સમયગાળો પૂર્ણ કર્યો છે તેઓ ખાસ ડિઝાઇન કરેલી એપ પર રેલવે પાસ માટે અરજી કરી શકે છે અને તેઓ તેને તેમના સંબંધિત સ્થાનિક વોર્ડ ઓફિસોમાંથી મેળવી શકે છે.
ઠાકરેએ કહ્યું કે, અત્યાર સુધીમાં મુંબઈમાં 19 લાખ લોકોને કોવિડ -19 વિરોધી રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જેમની પાસે સ્માર્ટફોન નથી, તેઓ આ પાસ ઓફલાઇન મેળવી શકે છે. હાલમાં, સામાન્ય લોકોને મુંબઈ ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરીની મંજૂરી નથી. લોકલ ટ્રેનો ફક્ત તે જ લોકો માટે ચલાવવામાં આવી રહી છે જેઓ આવશ્યક ક્ષેત્રોમાં અને સરકારી સેવાઓમાં કામ કરે છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર દુકાનો, મોલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળોને છૂટછાટ આપવા પર વિચાર કરી રહી છે અને સોમવારે ટાસ્ક ફોર્સની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.
મુંબઈમાં લોકલ ટ્રેનો ફરી શરૂ કરવા અંગે, કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવેએ ગુરુવારે કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર સામાન્ય લોકોને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકે છે, તો ફરી એકવાર આ સેવાને સામાન્ય બનાવી શકાય છે. લોકો માટે પુન ચાલું થઇ શકે છે.