ગુરુવારે મોડી સાંજ સુધી ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઠેર-ઠેર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. શુક્રવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ગુરુવાર સાંજથી જ રાધા-કૃષ્ણના મંદિરોને શણગારીને ભજન-કિર્તન અને વિશેષ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્યાંક રાધા-કૃષ્ણની મૂર્તિ મૂકી પંડાલને શણગારવાની તૈયારીઓ ચાલી રહી છે તો ક્યાંક શુક્રવારની મધ્યરાત્રિએ ભગવાનના જન્મની ખુશીમાં રાત્રી જાગરણનો કાર્યક્રમ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી અને તેમના સુખી અને સમૃદ્ધ જીવનની કામના કરી હતી.મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, જન્માષ્ટમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ભક્તિ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે એવી પ્રાર્થના. શ્રી કૃષ્ણ જીવો.”
सभी देशवासियों को जन्माष्टमी के पावन-पुनीत अवसर पर हार्दिक शुभकामनाएं। भक्ति और उल्लास का यह उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि और सौभाग्य लेकर आए। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) August 19, 2022