રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની જાણે મોસમ આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. જયરાજસિંહ અને તેમના સમર્થકો આવતીકાલે ભાજપમાં જોડાય તે પહેલા જ કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા હતા.
- કોંગ્રેસના નેતાઓએ પહેર્યો ભાજપનો ખેસ
- જયરાજસિંહ પણ ભાજપમાં જોડાશે
હાલમાં ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં કોંગ્રેસથી નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. એ જોતાં હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રવકતાકતા ભરતભાઇ દેસાઇ, સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશભાઇ ગોસ્વામી, એ.આઇ.સી.સી.ના પૂર્વ ડેલીગેટ પ્રશાંતભાઇ પરમાર આજે તેમના સમર્થકો તેમજ કિસાન સેનાના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ભાજપમાં જોડાયા છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં કોંગ્રેસથી નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. એ જોતાં હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે.કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રવકતાકતા ભરતભાઇ દેસાઇ, સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશભાઇ ગોસ્વામી, એ.આઇ.સી.સી.ના પૂર્વ ડેલીગેટ પ્રશાંતભાઇ પરમાર આજે તેમના સમર્થકો તેમજ કિસાન સેનાના પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ભાજપમાં જોડાયા છે.
રાજકીય / જગદીશ ઠાકોરના પુત્ર કોંગ્રેસ ભવનમાં દાખલગીરી કરે છે, કહી વિજય દવેએ આપ્યું રાજીનામું
T-20 Number 1 Team India / જે વિરાટ ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, ટીમ ઈન્ડિયા 6 વર્ષ બાદ T-20માં નંબર-1
OMG! / બ્રિટનમાં જન્મ્યો આવો વિચિત્ર પ્રાણી જોઈને આવી હેરિપોટરના ડોંબીની યાદ
ઘાસચારા કૌભાંડ કેસ / લાલુ યાદવને સજા એ એલાન, 5 વર્ષ સુધી રહેશે જેલમાં, જાણો જજના નિર્ણય પર શું હતું રિએક્શન