@દિવ્યેશ પરમાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાય.જેને લઈ સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં કેન્દ્રીય મંત્રી સહિત મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ ને લઈ સુરત ના વરાછા વિસ્તાર માં તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું .દેશ માટે બલિદાન આપનાર શહીદો ની યાદ માં સુરત ના સરથાણા ખાતે બનાવાયેલા શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા ની શરૂઆત કરાઈ હતી.
વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા દેશના સ્વતંત્ર પર્વને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા સરથાણા શહીદ સ્મારક ખાતે થી શરૂ થઈ હતી.જે સીમાડા, કાપોદ્રા ,હીરાબાગ સહિતના વિવિધ વિસ્તારમાં ફરી માનગઢ ચોક ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવી પૂર્ણ કરાઈ હતી.
આ યાત્રા માં દેશ ભક્તિ ની ભાવના સાથે મોટી સંખ્યા માં લોકો બાઈક લઈ જોડાયા હતા.આખું વાતાવરણ દેશ ભક્તિ ની ભાવના સાથે તિરંગા મય બન્યું હતું.ખાસ આ તિરંગા યાત્રા મા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાઈક ચલાવી તિરંગા યાત્રા માં જોડાયા હતા.
આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ
આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત