ગમખ્વાર અકસ્માત/ અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 102 અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત
  • ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત
  • ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયાના અહેવાલ
  • પંચર પડેલ બંધ ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસતા થયો અકસ્માત

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે. એક પછી એક ગમખ્વાર અકસ્માત સર્જાતા અનેકો માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જણાવીએ કે,અમદાવાદ-બગોદરા હાઇવે મીઠાપુર પાટિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો.આ અકસ્માતમાં 10લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.એક ઘાયલને અસારવા સિવિલ અને બીજા લોકો ને સોલા સિવિલ ખાતે ખસેડાયા છે.

Untitled 103 અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને લખ્યું, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

Untitled 104 અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

તો બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગત મોડીરાત્રે એલિસબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ સાથે બનાવ્યો ભારતનો નકશો; જુઓ આ અદ્ભુત દૃશ્ય

આ પણ વાંચો:સુરતમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા માથું ધડથી અલગ

આ પણ વાંચો:GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!