મીની લિકડાઉન લંબાવવાની જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી એ ફરી એક વખત કોર કમિટીની બેઠક યોજી હતી, તેમજ વર્તમાનના કોરોનાની વિપરીત પરિસ્થિતિ સામે નીપટવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી, અને ખાસ કરીને પોર કમિટીની બેઠકમાં સાધનોની ખરીદી ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં અતિ મહત્વનો ગણી શકાય તેવો પ્રજાલક્ષી અને પ્રજાની સુખાકારી માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના અદ્યતન સાધનો અને મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક સભ્યોની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખની ગ્રાન્ટ ફાળવવાની રહેશે.
ધારાસભ્યની આ ગ્રાન્ટનો ઉપયોગ રાજ્યની સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય સરકારી હોસ્પિટલો તેમજ દવાખાનાઓમાં ઉપરાંત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો અને દવાખાના માં ગોવિંદની સારવાર માટે કરવામાં આવશે તેના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.