આજીવન કેદ અથવા આજીવન કેદની સજા એટલે આરોપીના છેલ્લા શ્વાસ સુધી. જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ સુભાષ ચંદ્ર શર્માની ડિવિઝન બેંચે આ આદેશ મહોબા જિલ્લાના કુલપહાર પોલીસ સ્ટેશન હેઠળ 1997ના હત્યા કેસમાં દાખલ કરવામાં આવેલા ફૂલ સિંહ અને અન્ય (ત્રણ)ની અપીલને ફગાવી દેતા આપ્યો છે.
કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. કોર્ટ ફૂલ સિંહ, કલ્લુ અને જોગેન્દ્ર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી જેમને કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. મહોબાની જિલ્લા અદાલતે ત્રણેય આરોપીઓને હત્યા સહિત આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. ત્રણેય આરોપીઓએ ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. અરજદારો વતી કહેવામાં આવ્યું હતું કે તેઓ 20-21 વર્ષથી જેલમાં છે. અરજદારોએ તેમને મુક્ત કરવાની માંગ કરી હતી.
આરોપીઓને કસ્ટડીમાં લઇ જેલ હવાલે કરવા સૂચના આપી હતી
અદાલતને જાણવા મળ્યું કે આ મામલો રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલી નીતિ હેઠળ છે. આ કેસમાં આરોપી ફૂલ સિંહ અને કલ્લુ પહેલાથી જ જેલમાં છે, તેથી કોર્ટે બંને અરજદારોના સંદર્ભમાં કોઈ આદેશ આપ્યો નથી. પરંતુ કોર્ટે સંબંધિત કોર્ટને હરી ઉર્ફે હરીશ ચંદ્ર અને ચરણ નામના અપીલકર્તાઓને કસ્ટડીમાં લેવા અને બાકીની સજા ભોગવવા માટે તેમને જેલમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદાર કલ્લુ તરફથી કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે તેણે 20-21 વર્ષ જેલમાં વિતાવ્યા છે. તેની સજાના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેને મુક્ત કરવો જોઈએ. તેના પર કોર્ટે સ્પષ્ટતા કરી કે તે યોગ્ય નથી.
એક આરોપીનું મોત થયું છે
ટ્રાયલ દરમિયાન, પાંચ આરોપીઓ, કલ્લુ, ફૂલ સિંહ, હરિ અને ચરણને જય સિંહની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય એક આરોપી જોગેન્દ્ર સિંહનું મૃત્યુ થયું છે.
Ukraine Crisis / યુક્રેનમાં ચારેબાજુ ફેલાયેલા લોહિયાળ જંગ વચ્ચે આ પેઇન્ટિંગ આવી ચર્ચામાં, જાણ કેમ ?