Surat News/ મોડેલ અંજલી વરમોરા આત્મહત્યા કેસ : પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત, મોડેલની માતાનો આક્ષેપ

મોડલે ત્રાસી પોતાના ઘરમાં ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી

Gujarat Surat

Surat News : ચકચારભર્યા મોડેલ અંજલિ વરમોરા આત્મહત્યા કેસમાં તેના પ્રેમી ચિંતનના ત્રાસને કારણે તેણે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. અંજલિ અને ચિંતન વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ ચંતન અંજલિને લગ્નના ખોટા વાયદા કરતો હતો. અંજલિ શિડ્યુલ કાસ્ટની જ્યારે ચિંતન અપર કાસ્ટનો હતો. જેને લઈને બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. એટલું જ નહી ચિંતન તેને જાતિવિષયક શબ્દો બોલીને અપમાન પણ કરતો હતો.

આથી મોડલે ત્રાસી પોતાના ઘરમાં ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અઠવા લાઇન્સ પોલીસે મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.અંજલિ ચિંતન ધરમદાસ અગ્રાવતને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ ચિંતન અંજલિને કહેતો હતો કે તમારી જાતિ અને અમારી જાતિ અલગ-અલગ હોય અને મારો સમાજ ઊંચી જાતિનો હોય અને તમારી જાતિ નીચી છે. ચિંતન અંજલિને આવી રીતે માનસિક ત્રાસ આપી લગ્ન નહીં કરવા બાબતે ખોટાં-ખોટાં બહાનાં કાઢી ત્રાસ આપતો હતો.

અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ-અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ-અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. બંને ખૂબ જ ખુશીથી રહેતાં હતાં. દિવાળી બાદ બંનેનાં લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જોકે હજુ લગ્નની તારીખ લેવાની બાકી હતી.

નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા, એક ભાઈ અને એક બહેન છે. અંજલિ એક મોડલ હતી. અંજલિના ભાઈએ જણાવ્યું હતું કે મારી બે બહેનો છે અને હું આ પરિવારનો એકનો એક દીકરો છું. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને તેનાથી નાની બહેન અંજલિ હતી. મારા પિતા અલ્પેશભાઈ વરમોરા GEBની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યાર બાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે.

માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે.મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ હોવાનું સામે આવ્યું છે, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ તેના ફિયાન્સના હતા. એમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. વાતચીત બાદ ફિયાન્સના કેટલાક મિસકોલ પણ તેના મોબાઈલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત CDR મુજબ અંજલિએ 7 જૂન સાંજે અને રાત્રે તેની માતા, બહેન, જીજાજી અને ભાઈને પણ ફોન કર્યા હતા.

એટલું જ નહીં, મોડલે વ્હોટ્સએપથી પણ કોલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.ચિંતને પોલીસને વધુમાં જણાવ્યું હતું કે 4 વર્ષ પહેલાં અંજલિ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. વર્ષ 2021માં વેલેન્ટાઈન ડેના દિવસે તેણે અંજલિને પ્રપોઝ કર્યું હતું. ત્યાર બાદ બંને પરિવારજનોની સંમતિથી તેમની સગાઈ નક્કી થઈ હતી અને 31 ડિસેમ્બર 2024ના રોજ બંનેનાં લગ્ન થવાનાં હતાં, જોકે ચિંતનની માતાનું બીમારીને કારણે અવસાન થતાં એ વખતે લગ્ન રદ કરવામાં આવ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સપનાનું ઘર લેવું હવે પડશે મોંઘુ, AMC અને AUDAએ નવા બાંધકામોને લગતી ફીમાં કર્યો વધારો

આ પણ વાંચો:20 મેથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પાર્ટ-2 શરૂ થશે, AMCના એસ્ટેટ વિભાગે સર્વે શરૂ કર્યો; સ્થાનિકોને મકાન ખાલી કરવા સૂચના

આ પણ વાંચો:AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા