આજે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા નદી મહોત્સવની થીમ પર અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અતર્ગત રાજ્ય સરકારે 26 ડિસેમ્બરથી મદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે. નદી મહોત્સવ અંતર્ગત અમદાવાદનાં સાબરમતી નદીનાં તટે લોકભાગીદારી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
આજે સવારે 9 થી સાંજ સુધી વાસણા બેરેજ અને નદીની સાફસફાઇ અને તેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવ્યા હતા. 27 ડિસેમ્બરે સવારે 6 કલાકે સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડીથી મેરેથોન દોડ શરૂ થશે, જે બે કલાકની રહેશે. ત્યારબાદ સાંજે 4:00 થી 6:30 વાગ્યા સુધી ચિત્ર સ્પર્ધા, સંવાદ, ડીબેટ સ્પર્ધા, થીમેટિક પ્રદર્શન યોજાશે.આ ઉપરાંત 28 ડિસેમ્બરે સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સવારે 6 થી 8 દરમ્યાન યોગા, મેડીટેશન યોજાશે અને સાંજે 4:00 થી 6:30 કલાક સુધી સ્ટોરી ટેલીંગ, સાંંસ્કૃતિક નૃત્ય યોજાશે. 29 ડિસેમ્બરે ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર ખાતે સવારે 7:00 થી 10:30 કલાક સુધી નેચરવોક, વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિનું નિદર્શન અને સંત સરોવર ખાતે 10:30 થી 12:00 કલાક દરમ્યાન વૃક્ષારોપણ કરવામાં આવશે, અને સમાપનના દિવસે 30 ડિસેમ્બરે સાંજે 7:00 થી 07:49 કલાક સુધી જગન્નાથ મંદિર પાસે ઓવારો છે, ત્યાં સાબરમતી નદીની પૂજા, મશાલ, દીપોત્સવ કરવામાં આવશે. નદી ઉત્સવ કાર્યક્રમમાં તમામ જનતાને સહભાગી થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે
નોંધપાત્ર છે કે ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે. જેમાં સાબરમતીનાં તટ પર અમદાવાદ ખાતે, નર્મદા નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમજ તાપી નદીનાં તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.