Nadiad News/ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા રીપેરીંગ કરાવવા માટે વૉટસએપ નંબર 72028 77707 અપાયો

નડીયાદ શહેરમાં ૨૪ લેબર, ૪ ટ્રેક્ટર, ૧ જેસીબી અને ૧ રોલર નો ઉપયોગ કરી પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે

Gujarat

Nadiad News : રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ખેડા જિલ્લામાં નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાઓને વેટમિક્ષ કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જે પૈકી આજરોજ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડીયાદ શહેરના ૨.૫ કિ.મી રસ્તા પર ૧૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરી પેચ વર્ક કરવામાં આવ્યું છે. જેમાં વરસાદના પગલે રોડ રસ્તા બગડતા આજ રોજ તત્કાળ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારો જેવા કે , પ્રાઈમ હેવન સોસાયટી, ભક્તિનગર રોડ, બાલ યોગી સોસાયટી રોડ, તથા અન્ય વિસ્તારમાં કુલ ૨.૫ કિ.મી રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું છે. જેમાં ૧૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમ મ્યુનિસિપલ એન્જિનિયર પટેલે જણાવ્યું છે.

નડિયાદ કેનાલ સર્વિસ રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બાલ યોગી સોસાયટીમાં ચાલી રહેલી કામગીરી સમયે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,” અત્યારે તલાવ રોડ વિસ્તારના રસ્તામાં વરસાદના કારણે નુકસાન થયેલું છે ત્યાં રીપેરીંગ કામગીરી થઈ રહી છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વૉટસએપ નંબર અને સીટીઝન એપ દ્વારા અમે વરસાદના પગલે થયેલા રોડ રસ્તા તેમજ ખાડા અંગે વિગતો તેમજ ફોટા મેળવીએ છીએ અને તત્કાલિક કાર્યવાહી કરીએ છીએ. વૉટસએપ નંબર પર ફોટા કે ફરિયાદમાં આવે તો અમે માર્ગદર્શન માટે માણસો મોકલીએ છીએ… ´

ઉલ્લેખનીય છે કે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા રીપેરીંગ માટે કરાવવા માટે વૉટસએપ – 72028 77707 નંબર અપાયો છે. આ વૉટસએપ નંબર ઉપર આપ ફરિયાદ વિસ્તારની વિગતો કે ફોટા મોકલશો તો મહાનગરપાલિકાની ટીમ ત્યાં રીપેરીંગની કામગીરી કામગીરી માટે પહોંચી જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના માટે એર ઇન્ડિયાએ ક્રૂને જવાબદાર ઠેરવ્યા, ICPA રિપોર્ટથી પાઇલટ્સ નારાજ

આ પણ વાંચો:AI વિમાન દુર્ઘટનામાં હોટેલ બુકિંગ રદ થવાથી લઈને સામાન ખોવાઈ જવા સુધી, વિવિધ પ્રકારના વીમા દાવાઓ

આ પણ વાંચો:ઈંધણ કાપ, એન્જિન બંધ… 270 લોકોના મોત માટે કોણ જવાબદાર? વિમાન દુર્ઘટનાની હવે આ ત્રણ એંગલથી તપાસ કરવામાં આવશે