Not Set/ દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મકાર મૃણાલ સેને દુનિયાને કહ્યું અલવિદા

નવી દિલ્હી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી ટોચના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુકેલા પ્રસિદ્ધ ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન થયું છે. તેઓએ ૯૫ વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહ્યું છે. મળતી માહિતી મુજબ,  મૃણાલ સેન ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓએ કલકત્તાના ભવાનીપોરમાં બનેલા ઘરમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. Dadasaheb Phalke awardee […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી ટોચના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુકેલા પ્રસિદ્ધ ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન થયું છે. તેઓએ ૯૫ વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહ્યું છે.

મળતી માહિતી મુજબ,  મૃણાલ સેન ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓએ કલકત્તાના ભવાનીપોરમાં બનેલા ઘરમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રખ્યાત ફિલ્મકાર મૃણાલ સેનને તેઓના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમજ વર્ષ ૨૦૦૫માં ભારત સરકાર દ્વારા “પદ્મ વિભૂષણ”થી નવાજવામાં આવ્યા છે.

મૃણાલ સેનનો જન્મ ૧૪ મે, ૧૯૨૩ના રોજ થયો હતો. તેઓએ ૧૯૫૫માં પોતાની પહેલી ફીચર ફિલ્મ “રાતભોર” બનાવી હતી. ત્યારબાદ તેઓએ “નીલ આકાશ નીચે” તેમજ “બાઈશે શ્રવણ” બનાવી હતી.

તેઓના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.