પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી નથી રહ્યા. એમણે એઇમ્સમાં ગુરુવારે 5:05 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 93 વર્ષના વાજપેયી લાંબા સમયથી બીમાર હતા. તેમજ 2009થી વ્હીલચેર પર હતા. એમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી ટીચર હતા. અને માં કૃષ્ણા દેવી ગૃહિણી હતા.
અટલજીના પરિવારમાં એમના માતા-પિતા ઉપરાંત ત્રણ મોટા ભાઈ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી વાજપેયી અને ત્રણ બહેનો હતી. એમની પ્રારંભિક શિક્ષા સરસ્વતી શિક્ષા મંદિર, બાડામાં થઇ હતી. ગ્વાલિયરમાં અટલજીના ઘણા સંબંધીઓ છે. જેમાં ભત્રીજી કાંતિ મિશ્રા અને ભાણેજ કરુણા શુકલા છે. વળી, ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણેજ સાંસદ અનુપ મિશ્રા છે.
અટલ બિહારી વાજપેયી આજીવન અવિવાહિત રહ્યા. પરંતુ 1998માં જયારે તેઓ 7, રેસકોર્સ રોડમાં રહેવા પહોંચ્યા તો એમની મિત્ર રાજકુમારી કૌલની પુત્રી તેમજ એમની દત્તક પુત્રી નમિતા અને એમના પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ સાથે રહેવા આવી ગયો હતો. રાજકુમારી કૌલ વિષે કહેવામાં આવી રહ્યું છે કે જયારે અટલજી પ્રધાનમંત્રી હતા ત્યારે કૌલ વાજપેયીના ઘરની સદસ્ય હતી. એમના નિધન બાદ વાજપેયીના આવાસ પરથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી, એમાં એમને વાજપેયીના ઘરના સદસ્ય સંબોધિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી તરફથી જમા કરવામાં આવેલા શપથ પત્ર અનુસાર અટલના નામે કુલ ચલ સંપત્તિ 30,99,232.41 રૂપિયા હતી. વળી, પૂર્વ પ્રધાનમંત્રી હોવાના કારણે 20,000 રૂપિયાનું માસિક પેંશન અને સચીવીય સહાયતા માટે 6000 રૂપિયાનો કાર્યાલય ખર્ચ પણ મળતો હતો.
અટલજીની અચલ સંપત્તિની વાત કરવામાં આવે તો 2004ના શપથ પત્ર મુજબ અટલજીની કુલ અચલ સંપત્તિ 28,00,000 રૂપિયા હતી.