બેંગલુરુ,
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકારના ગઠન બાદ ગુરુવારે સરકારનું પ્રથમ બજેટ રજુ કરાયું છે. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ૨૦૧૮-૧૯નું બજેટ વિધાનસભામાં રજુ કરતા ખેડૂતો માટે મોટું એલાન કર્યું છે.
#Bengaluru: Karnataka Chief Minister HD Kumaraswamy presents the government's first budget at Vidhana Soudha pic.twitter.com/8X4WIzgXJU
— ANI (@ANI) July 5, 2018
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા ખેડૂતોની લોન માફી કરવાની ઘોષણા કેટલીક હદ સુધી પૂરી કરતા ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે. જો કે આ બજેટમાં રાહતની સાથે સાથે પેટ્રોલ-ડીઝલ અને વિજળીમી કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
I have decided to limit the loan amount to Rs 2 lakhs. Due to this crop loan wiaver scheme, farmers will get the benefit of Rs 34,000 crore: HD Kumaraswamy while presenting the budget in Vidhana Soudha pic.twitter.com/CKeVaXv9Yx
— ANI (@ANI) July 5, 2018
એચ ડી કુમારસ્વામી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે કુલ ૨,૧૩,૭૩૪ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બજેટ રજુ કરતા તેઓએ કહ્યું, “અમારી સરકાર ગત સિદ્ધારમૈયા સરકારની તમામ યોજનાઓને પણ ચાલુ જ રાખશે. વર્ષ ૨૦૧૬-૧૭માં વિકાસ દર ૭.૫ ટકા હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ % થઈ ગયો છે. સરકારની મુખ્ય પ્રાથમિકતા ખેડૂતોની લોન માફી કરવા માટેની છે.
બજેટની લાઇવ અપડેટ :
રાજ્યનો વિકાસ દર ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ % થયો છે જે ૨૦૧૬-૧૭માં ૭.૫ ટકા હતો.
બેલગાવી, કલબુર્ગી અને મૈસુર જેવા શહેરોમાં સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ ખોલવામાં આવશે. આ હોસ્પિટલમાં હાર્ટ, કેન્સર અને અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે.
I propose to increase the rate of tax on petrol from the present 30% to 32% and diesel from 19% to 21%, so petrol price will be increased by Rs.1.14/ltr and diesel by Rs 1.12/ltr: Karnataka CM HD Kumaraswamy while presenting the budget pic.twitter.com/9VqBhtEkGU
— ANI (@ANI) July 5, 2018
રાજ્યમાં પેટ્રોલના ભાવ ૧.૧.૧૪ રૂપિયા પ્રતિ લીટર વધવાની કરાઈ ઘોષણા
૧.૨૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવથી ડીઝલના ભાવમાં કરાશે વધારો
પ્રાઈમરી સ્કુલમાં કન્નડ માધ્યમની સાથે સાથે કર્ણાટકમાં અંગ્રેજીની શિક્ષણ પણ શરુ કરવામાં આવશે.. જેથી વધુમાં વધુ સરકારી સ્કૂલની તરફ આકર્ષિત કરી શકાય. પહેલા ૧૦૦ સ્કૂલોમાં આ પ્રયોગ કરવામાં આવશે.
બેંગલુરુ તળાવના જીર્ણોદ્ધાર માટે ૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
કર્ણાટક સરકાર આદિ શંકરાચાર્યની જયંતીનું આયોજન કરશે.
દેશના દારૂ પર ૪ ટકાનો મેન્યુફેક્ચરિંગ ટેક્સ વધારવામાં આવશે. આ કારણે ૧૦૦૦ કરોડ રૂપિયાની રેવેન્યુ સરકારને મળશે.
બેંગલુરુમાં પેરિફેરલ રિંગરોડનું નિર્માણ કરાશે. આ રિંગરોડના નિર્માણ માટે ૧૧,૯૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
પહેલાની કોંગ્રેસ સરકારોની તમામ કલ્યાણકારી યોજનાઓ શરુ જ રહેશે.
Considering the popularity of Indira Canteens in Bengaluru, action has been taken to open 247 Indira Canteens in all taluks and district head quarters of the state at an expenditure of Rs 211 crores: Karnataka CM HD Kumaraswamy while presenting budget 2018-19 in Vidhana Soudha pic.twitter.com/EQ58KNUMi5
— ANI (@ANI) July 5, 2018
ઇન્દિરા કેન્ટીન, અન્ન ભાગ્ય યોજના ચાલુ જ રહેશે, જેને વધુ યોગ્ય બનાવવામાં આવશે.
I have decided to waive all defaulted crop loans of farmers up to 31 Dec 2017 in the first stage. Farmers who repaid the loan within time,as an encouragement to the non defaulting farmers, I have decided to credit the repaid loan amount or Rs 25000 whichever is less: Karnataka CM pic.twitter.com/VeRUhM3DT5
— ANI (@ANI) July 5, 2018
ખેડૂતોની લોન માફી કરવાના કારણે ૨૫ હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે.
ખેડૂતોની લોન માફી આ પ્રથમ ચરણ છે.
ખેડૂતોને ૩૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધી લેવામાં આવેલા લોનને માફ કરાશે.
ખેડૂતોને ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવશે. દરેક ખેડૂતોને ૨ લાખ રૂપિયા સુધીની લોન માફ થશે.
