નવી દિલ્હી,
આજે ૨ ઓકટોબર, ત્યારે આ દિવસને દેશભરમાં ગાંધી જયંતી તરીકે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સત્ય અને અહિંસાના પુજારી એવા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓકટોબર, ૧૯૬૯માં થયો હતો.
આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આ ખાસ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ આપણા દેશની કરન્સીની નોટ પર પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસ્વીર છાપવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો કે, ગાંધીજીનો આ ફોટો છાપવા પાછળ શું રાજ છે ?
ભારતીય રૂપિયાની નોટ પર ગાંધીજીની તસ્વીર સૌપ્રથમ ૧૯૬૯માં છાપવામાં આવી હતી. ૧૯૬૯ના આ વર્ષે મહાત્મા ગાંધીના જન્મની શતાબ્દી હતી અને નોટ પર તેઓની તસ્વીરની સાથે પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો.
જો કે ત્યારબાદ ઓક્ટોબર, ૧૯૮૭માં પહેલીવાર ૫૦૦ રૂપિયાની નોટ આવી હતી અને ત્યારે આ નોટ પર ગાંધીજી તસ્વીર હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૯૬માં મહાત્મા ગાંધીજીની તસ્વીર વાળી નોટ ચલણમાં આવી હતી. ત્યારબાદ ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ છાપવામાં આવી હતી.
આ દરમિયાન અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નોટો અને અશોક સ્તંભની ફોટોને ડાબી બાજુનીચેના ભાગમાં પ્રિન્ટ કરાઈ હતી.
પરંતુ ૧૯૯૬પહેલા વર્ષ ૧૯૮૭માં મહાત્મા ગાંધીની વોટરમાર્કના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી.આ દરમિયાન નોટની ડાબી બાજુ જોવા મળતા હતા.
એક RTIના જવાબમાં સામે આવ્યું છે કે, વર્ષ ૧૯૯૩માં RBI દ્વારા નોટની જમણી બાજુ મહાત્મા ગાંધીનું ચિત્ર છાપવા માટેની ભલામણ કેન્દ્ર સરકારને કરવમાં આવી હતી.
ગાંધીજીની તસ્વીર પાછળ છે આ રાજ
દેશની કરન્સીની નોટ પર છાપવામાં આવેલી ગાંધીજીની તસ્વીર વર્ષ ૧૯૪૬માં ખેચવામાં આવી હતી અને આ એક અસલી તસ્વીર છે.
આ તસ્વીર એ સમયની છે, જયારે ગાંધીજી લોર્ડ ફ્રેડરિક પેથિક લોરેન્સ વિકટ્રી હાઉસમાં આવ્યા હતા.