નવી દિલ્હી,
મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સંશોધન કર્યા બાદ લોન્ચ કરવામાં આ યોજના સુપરહિટ સાબિત થઇ રહી છે. આ યોજનાને ૧૫ ઓગષ્ટના રોજ લોન્ચ કર્યા બાદ ૫ સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો શામેલ થઇ ચુક્યા છે. આ સાથે એકાઉન્ટ હોલ્ડરની કુલ સંખ્યા વધીને ૩૨.૬૧ કરોડ થઇ ગઈ છે.
નાણા મંત્રાલય દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ પીએમજેડીવાઈના ટોચના વીમા કવચ સાથે યા યોજના વધુ એકવાર લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ઓવરડ્રાફ્ટ બે ગણો કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયના આંકડા અનુસાર, ૧૫ ઓગષ્ટ થી ૫ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ૩૨.૬૧ પીએમજેડીવાઈના ખાતાઓમાં કુલ ૧૨૬૬.૪૩ કરોડ રૂપિયા જમા થયા છે. જયારે ૫ સપ્ટેમ્બરના રોજ પીએમજેડીવાઈના ખાતાઓમાં બચેલી ધનરાશિ ૮૨,૪૯૦.૯૮ કરોડ રૂપિયા છે.
આ યોજનામાં સંશોધન કરાયા બાદ મળનારા લાભ :
૧. ૨૮ ઓગષ્ટ પછી પીએમજેડીવાઈના એકાઉન્ટ હોલ્ડરને મળતા આકસ્મિક વીમાનું કવર ૧ લાખ રૂપિયાથી વધારી ૨ લાખ રૂ. કરવામાં આવ્યું છે.
૨. ૫,૦૦૦ રૂપિયાના હાલના ઓવરડ્રાફ્ટની સીમા વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ૨,૦૦૦ રૂપિયા સુધીના ઓડી માટે કોઈ શરત જોડવામાં આવી નથી.
૩.નાણા મંત્રાલયના આંકડા મુજબ, ૨૮ ઓગષ્ટ બાદ પીએમજેડીવાઈના ખાતું ખોલવા માટે અંદાજે ૭.૧૮ લાખ લોકો ૨ લાખ રૂપિયાના આકસ્મિક વીમાનું કવરનો લાભ ઉઠાવી શકે છે.
આ પહેલા વર્ષ ૨૦૧૪માં શરુ કરવામાં આવેલી પીએમજેડીવાઈ હેઠળ સૌપ્રથમ જરૂરી ખાતાઓ ખોલવા તેમજ ડેબિટ કાર્ડ આપ્યા બાદ ૧ લાખ રૂપિયાનો આકસ્મિક દુર્ઘટના વીમા કવચ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પીએમજેડીવાઈ યોજના છ મહિના પછી ૫૦૦૦ રૂપિયાનો ઓડી સાથે જરૂરી ખાતાઓની સુવિધા પ્રદાન કરતી હતી.