કેન્દ્રની મોદી સરકારે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે MSME લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 59 મિનિટમાં મળી જશે, નાના વેપારીઓને લોન પર 2 ટકા છૂટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિજ્ઞાન ભવનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના બેઝનેસમેનો સાથે વાત કરી છે.
તમામ કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે, તે તમામને હવે Trade Receivables e- Discounting System એટલે કે, TReDS Platform પર લાવવા જરૂરી કરી દીધા છે, જેથી MSME’sને કેશ ફ્લોમાં પ્રોબલમ ન આવે. GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવશે.
સરકારી કંપનીઓ માટે હવે એ જરૂરી થઈ ગયું છે કે, તે પોતાની ખરીદી ઓછામાં ઓછું 3 ટકા મહિલા બિઝનેસમેન પાસેથી જ ખરીદે. હવે સરકારી કંપનીઓ જેટલો સામાન ખરીદે છે, તેમાં માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝેઝની ભાગીદારી વધુ વધારવા જઈ રહી છે.