Not Set/ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ RSSના કાર્યક્રમમાં ભણાવ્યા દેશભક્તિ અને ઇતિહાસના પાઠ 

નાગપુર, RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રશિક્ષણ કાર્યક્રમમાં હાજર રહેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવકના મંચ પર પહોંચ્યા છે. #WATCH Former President Dr Pranab Mukherjee speaking at RSS's Tritiya Varsh event, in Nagpur https://t.co/REkQkhbYLG — ANI (@ANI) June 7, 2018 RSSના તૃતીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંબોધતા પ્રણવ મુખરજીએ […]

Top Stories Trending

નાગપુર,

RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રશિક્ષણ કાર્યક્રમમાં હાજર રહેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવકના મંચ પર પહોંચ્યા છે.

RSSના તૃતીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંબોધતા પ્રણવ મુખરજીએ કહ્યું, 

ઘણા સાસકો બાદ પણ દેશની સંસ્કૃતિ જળવાઇ રહી છે.

સંવિધાનથી રાષ્ટ્રવાદની ભાવના વહે છે.

50 વર્ષમાં મે આ જ શીખ્યુ છે.

હિન્દુ, મુસ્લિમ અને શિખ મળીને જ રાષ્ટ્ર બને છે.

આપણા દેશમાં ૧૨૨ ભાષા, ૧૬૦૦ બોલી છે.

વાતચીતથી દરેક સમસ્યાનું સમાધાન શક્ય છે.

હું રાષ્ટ્રવાદ અને દેશ ભક્તિ પર બોલવા આવ્યો છું.

દેશ પ્રત્યે સમર્પણ એ જ દેશ ભક્તિ છે.

ભારતના દરવાજા પહેલેથી જ બધા માટે ખુલેલા છે.

તમામે આ વાત માની છે કે હિંદુ એક ઉદાર ધર્મ છે.

રાષ્ટ્રવાદ એ કોઈ પણ દેશની ઓળખ છે.

દેશભક્તિ એટલે દેશની પ્રગતિમાં આસ્થા છે.

વિવધતામાં એકતા ભારતને ખાસ બનાવે છે.

દુનિયા દેશોમાં બૌદ્ધ ધર્મની પહોંચ છે.

આપણે વિવિધતાનું સન્માન કરીએ છીએ.

વિવિધતા આપણી સૌથી મોટી તાકાત છે.

ભેદભાવ, નફરતથી આપણી ઓળખને ખતરો છે.

સહિષ્ણુતા આપણી સૌથી મોટી ઓળખ છે.

આપણે એકતાની તાકાતને ઓળખીએ છીએ.

ભારત એક સ્વંતત્ર સમાજ છે.

રાષ્ટ્રવાદ કોઇપણ દેશની ઓળખ છે.

ભારત સમગ્ર દેશમાં સુખ- શાંતિ ઇચ્છે છે.

વિશ્વનું સૌથી પહેલું રાજ્ય ભારત છે.

ઘણા વિદેશીઓ ભારતની પ્રશંસા કરે છે.

અલગ રંગ, ભાષા અને ધર્મ એજ ભારતની ઓળખ.

રાષ્ટ્રવાદ કોઇ જાતિ,ધર્મ કે ભાષાથી બંધાયેલી નથી.

નહેરૂજીએ કહ્યુ હતું કે સૌનો સાથ જરૂરી.

આ કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની સાથે સાથે મંચ પર RSSના પ્રમુખ મોહન ભાગવત તેમજ આરએસએસના બે વરિષ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત છે.

RSSના પ્રમુખ મોહન ભાગવતે ત્યાં ઉપસ્થિત સ્વયંસેવકોને સંબોધિત કરતા જણાવ્યું, 

અમારા દ્વારા દરેક વર્ષે સજ્જનોને આમંત્રિત કરવામાં આવતા હોય છે, જેઓને આવવાનું હોય છે તેઓ અમારું આમંત્રણ સ્વીકારે અને આ કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પોતાનો જે સમય આપ્યો તેના માટે આભાર વ્યક્ત કરું છું.

પ્રણવ મુખર્જીને કેવી રીતે અને શા માટે બોલવવામાં આવ્યા, તેની ચર્ચા બેકાર છે.

ભારતમાં રહેનારા દરેક વ્યક્તિ આપના છે, એમાં કોઈ વિવાદ નથી.

આ કાર્યક્રમ દરેક વર્ષે યોજાય છે પરંતુ આ વખતે ચર્ચા વધુ છે.

આ રાષ્ટ્રને મહાપુરુષોએ ઉભું કર્યું છે. આ માટે તેઓએ પરસેવો વહાવ્યો છે.

દેશના લોકોના મત અલગ-અલગ હોઈ શકે છે પરંતુ અમે સૌ ભારત મતના પુત્ર છે. વિવિધતાનો સ્વીકાર કરવો એ સારી વાત છે.

અમે સૌ ભારતીયો છે અને તમામે આપના રાષ્ટ્રની સેવા કરવી જોઈએ. આપણે પોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરતા પણ હોય છે.

એકતામાં વિવિધતા જ ભારતની ઓળખ છે.

દેશમાં કોઈ દુશ્મન નથી, દરેકની માતા ભારત માતા છે.

ડોક્ટર હેડગેવારને પોતાના માટે કઈક કરવાની જરૂરત નથી. તેઓ કોંગ્રેસના કાર્યકર્તા પણ હતા અને જેલ પણ ગયા. સાથે સાથે તેઓ સમાજ સુધારક પણ રહ્યા હતા.

સંઘ માત્ર હિન્દુઓનું સંગઠન નથી, પરંતુ અમે તમામ પ્રકારના લોકોના વિચારોને સાથે લઈને ચાલી રહ્યા છે.

જો કે આ પહેલા પ્રણવ મુખર્જી RSSના ફાઉન્ડર કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિ મંદિરમાં તેઓનું સ્વાગત RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું હતું.

RSSના સંસ્થાપક હેડગેવારના જન્મસ્થળ પર પહોંચ્યા બાદ વિઝિટર બુકમાં તેઓએ લખ્યું, “આજે હું ભારત માતાના એક મહાન સપૂતના પ્રતિ પોતાનું સન્માન અદા કરવા તેમજ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું”.