નવી દિલ્હી,
ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત અંત્યત નાજુક જોવા મળી રહી છે. હાલમાં તેઓને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એમ્સ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૩૬ કલાકથી તેઓની તબિયત ખુબ નાજુક જોવા મળી રહી છે અને હાલમાં તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ નાજુક હોવાના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, પીએમ મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ સહિત સરકારના અનેક કેન્દ્રીયમંત્રીઓ એમ્સમાં તેઓના હાલ ચાલ જાણવા માટે પહોચી રહ્યા છે.
જો કે અટલ બિહારી વાજપેયીના કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓ એક સફળ રાજનેતા, પત્રકાર હોવાની સાથે એક કવિ પણ હતા. તેઓ હંમેશા પોતાના ભાષણોમાં પોતાની કવિતાઓ બોલતા હતા.
તેઓ દ્વારા લાખવામાં આવેલી કવિતાઓ સમયાનુસાર સંસદમાં અને પોતાના ભાષણોમાં કહેતા હતા. અટલ જી દ્વારા રચિત કવિતા સંગ્રહ “મેરી ઇક્વાવન કવિતાઈ” તેઓના સમર્થકોમાં ખાસ લોકપ્રિય છે.
વાંચો તેમની મુખ્ય કવિતાઓ :
૧. “હાર નહિ માંનુંગા”
૨. “ગીત નયા ગાતા હું”
૩. “છોટે મન સે કોઈ બડા નહિ હોતા”
૪. “આઓ ફિર સે દિયા જલાયે”
૫. “કદમ મિલાકર ચલના હૈ”
૬. “મૌત કી ઉમ્ર ક્યાં દો પલ થી”