સાબરકાંઠા,
સાબરકાંઠા જીલ્લામાં અત્યંત જર્જરિત આંગણવાડીમાં અભ્યાસ કરતા ભુલકાઓ ભયના ઓથાર હેઠળ પાયાનું શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે આ જર્જરિત આંગણવાડી ભુલકાનો ભોગ લે એ પહેલા જ તંત્ર દ્બારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠી છે.
તો બીજી તરફ સાબરકાંઠા જીલ્લામાં આંગણવાડીના મકાનોના બાંધકામમાં મોટા ભ્રષ્ટચારની ગંધ આવે છે. ઇડર અને વડાલી તાલુકામાં 128 જેટલી આંગણવાડી બનાવવા નું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ તેમાં અત્યાર સુધીમાં 108 આંગણવાડી તૈયાર કરવામાં આવી છે. જ્યારે આંગણવાડીના બાંધકામ થતું હતું. ત્યારે ભ્રષ્ટચારની બુમો ઉઠી હતી.
આ આંગણવાડી બનાયાના 4 વર્ષમાં જ મકાનો જર્જરીત થઇ ગયા છે. આ મામલે તંત્રને અનેકો વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હમેંશા આંખ આડા કાન જ કર્યા છે.
ભયજનક આંગણવાડી કોઇ માસુમ ભુલકાનો ભોગ લે એ પહેલા તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહીં હાથ ધરાય એવી માંગ છે.