શ્રી નગર
જમ્મુ કાશ્મીર વધુ એક આતંકવાદીનો હુમલો સામે આવ્યો છે. કુલગામમાં આતંકવાદીઓએ આર્મીના કેમ્પ પર હુમલો કર્યો છે જેમાં એક નાગરિક ઘાયલ થયો છે.
ઘાયલ થયેલ નાગરિકને હાલ નજીકની હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણવ્યા પ્રમાણે આ હુમલો કર્યા બાદ આતંકવાદી ફરાર થઇ ગયા હતા.હાલ આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે હજુ ગયા અઠવાડીએ જ કુલગામમાં એક નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ૧૯ વર્ષીય મૃતક હુજૈફ અશરફ કુલગામનો રહેવાસી હતો.